વડોદરામાં પોલીસ અધિકારીના દીકરાએ તળાવમાં લગાવી મોતની છલાંગ- કલાકોથી શોધખોળ શરુ છે પણ…

વડોદરા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચકચાર મચાવતો બનાવ બન્યો છે. જેમાં વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં…

વડોદરા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચકચાર મચાવતો બનાવ બન્યો છે. જેમાં વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પડતું મુકીને આપઘાત કરી લેતા તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરવા નિકળેલા 23 વર્ષીય યુવાને આત્મહત્યા કરવા જતા પહેલા ઘરે એક પત્ર પણ છોડ્યો હતો. જેમાં હું ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું લખ્યું હતું.

જોકે, પોલીસ પુત્રએ કયા કારણથી આપઘાત કરવો પડ્યો તે અંગેની હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તળાવ વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન મળ્યો નથી. જાણવા મળ્યું છે કે, વડોદરા પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંદેરા ગામના તળાવમાં આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, નિરજ પવારે ઘરેથી નિકળીને ઉંડેરા તળાવના કિનારે ચપ્પલ ઉતારીને કુદકો લગાવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા તાત્કાલિક ફાયરની ટીમ તળાવ પાસે પહોંચી હતી. ત્યારબાદ તળાવમાં યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવના કિનારેથી યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા. જે કબ્જે કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉંડેરા તળાવમાં મોતનો ભુસકો મારનાર 23 વર્ષીય નિરજ પવારના પિતા લક્ષ્મીનાથ પવારે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થઇ ત્યારે નોકરી ઉપર હતો. મને બનાવની જાણ થતાં હું તાત્કાલિક ઉંડેરા તળાવે આવી પહોંચ્યો છું. પુત્ર નિરવ ઘરે ચિઠ્ઠી લખીને નીકળ્યો હતો. જેમાં તેણે માત્ર “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું” તેમ લખ્યું છે. તેણે કયા કારણોસર તળાવમાં પડતું મુક્યું તેની મને ખબર નથી. તે હાલ ઘરે જ હતો કોઇ કામ-ધંધો કરતો ન હતો. હાલ ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે ટી.પી.-13 ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસર અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમને ઉંડેરા તળાવમાં એક યુવાન ડૂબી ગયો હોવાનો મેસેજ મળતા જ ટીમ સાથે સ્થળ પર આવી ગયો હતો અને તુરંત જ તળાવમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તળાવ વરસાદી પાણીથી છલોછલ હોવાથી તળાવમાં લાપતા યુવાનનો કોઇ ભાળ મળી નથી.

ફાયરબ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા દિવાળીપુરા સીસીટીવીની તપાસ કરતાં નીરજ દિવાળીપુરા સર્કલ સુધી જતાં દેખાય છે. પરંતુ, આગળના સીસીટીવીમાં દેખાતો નથી તેમજ તે પોતાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ ગયો હોવાથી અન્ય શક્યતા પર પણ હાલ વિચારણા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *