બેંકના હપ્તા ન ભરાતા સુરતના રત્નકલાકારે લગ્નની પહેલી જ વર્ષગાંઠે ઝેર ગટગટાવ્યુ ‘ઓમ શાંતિ’

સુરત(SURAT): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક રતનકલાકારે લગ્નની પહેલી જ વર્ષગાંઠના ચોથા દિવસે જ ઝેરી દવા ગટગટાવી લીધી. ઘટના બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.

પરિવારે જણાવ્યું હતું કેર, યુવકે થોડા સમય પહેલા પરિવારની જાણ બહાર બેન્ક લોન લીધી હતી. જેના હપ્તા નહીં ભરી શકતા કડક ઉઘરાણીને લઈ મેહુલ દેવગણિયા નામના યુવકે માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે, સમગ્ર ઘટના અંગે જહાંગીરપુરા પોલીસે આગળની તપાસમાટે તજવીજ ધરી છે.

1 વર્ષ પહેલા જ થયા હતા રત્નકલાકાર યુવકના લગ્ન
મળતી માહિતી અનુસાર, મૃતક 27 વર્ષીય યુવક મેહુલ દેવરાજ દેવગણિયા નિલકંઠ સોસાયટી કતારગામનો રહેવાસી હતો. જ્યાં તે માતા-પિતા, નાના ભાઇ અને પત્ની સાથે રહેતો હતો. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરી આખા પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. જોકે ઘરના કમાઉ સદસ્યના મોતા બાદ પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે.

ઝેરી દવા ગટગટાવી ટુંકાવ્યું જીવન
​​​​​​​પરિવારજનોએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મેહુલ પાસે બેન્ક વાળા 10 દિવસથી ઉઘરાણી કરતા હતા. જોકે કેટલાની લોન હતી એ બાબતે કશી જ ખબર ન હતી. મેહુલ મિત્રની સાથે જહાંગીરપુરા કનાદ ફાટક નજીક બેસવા માટે ગયો હતો. જ્યાં ગયા બાદ મિત્રની નજર ચૂકવી ઝેરી દવા પી લીધી હતી.

ફાટક નજીક બેસવા માટે ગયા પરંતુ મેહુલના મો માંથી દુર્ગંધ આવતા મિત્રએ દબાણથી પૂછતા, મેહુલે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જઈને પરિવારને જાણ કરાઈ હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને ટૂંકી સારવાર બાદ મેહુલનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *