ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ, આકરા પ્રહાર કરતા જાણો શું કહ્યું…

ગુજરાત(GUJARAT):  આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ અમદાવાદના નિકોલ એક્સ્ટેંશન માં વીજળીના મુદ્દે મોટી જાહેર સભામાં હાજરી આપી હતી. અમદાવાદ ના મુશળધાર વરસાદમાં પણ ઇસુદાન ગઢવી જી ને સાંભળવા આ જાહેર સભામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઇસુદાન ગઢવી જી એ અમદાવાદ ની જનતા સમક્ષ બોલતા કહ્યું કે આજે અરવિંદ કેજરીવાલ આ દેશની એકમાત્ર આશા છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જ લોકોની એકમાત્ર આશા છે. છેલ્લી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં, આમ આદમી પાર્ટી ને 20% થી 28% મત મળ્યા હતા. આ દર્શાવે છે કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ને સ્વીકારી લીધી છે.

ઇસુદાન ગઢવી એ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, કેરળમાં જ્યાં શિક્ષિત લોકો વસે છે ત્યાં આજ સુધી ભાજપને 5%થી વધુ વોટ મળ્યા નથી અને પંજાબમાં પણ ભાજપનો સફાયો થયો છે. અને આખી દુનિયાએ દિલ્હીનો ઈતિહાસ જોયો છે, આજે દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ નામ માટે જ રહી ગયા છે. આ વખતે ગુજરાતની જનતાએ એ જ કરવાનું છે અને ગુજરાતમાં ભાજપનો સફાયો કરવાનો છે.

ઇસુદાન ગઢવીએ વિજળીના મુદ્દે વાત કરતા જણાવ્યું કે, મોટાભાગે લોકો જે વીજ બિલો મેળવી રહ્યા છે તેમાં છેતરપિંડી થઇ રહી છે. ગુજરાતની જનતા પાસેથી વીજળી બિલ ના નામે જુદા જુદા ચાર્જ વસુલવામાં આવે છે. જ્યારે જનતા તેમના વીજળીના બિલમાં વધારો જુએ છે, ત્યારે ફરિયાદ કરવાને બદલે, તેઓ એ જ બિલ ને સાચુ માની લે છે. આવા ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા થી વધુ રૂપિયા 300-500 વસૂલીને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભ્રષ્ટ ભાજપ સરકાર વીજ કંપનીઓને આ વધારાનો ચાર્જ વસુલવાની પરવાનગી આપે છે. આ રીતે ગુજરાતની જનતા ની આંખમાં ધૂળ નાખી ને ભાજપ સરકાર પ્રજાના કરોડો રૂપિયા લૂંટી રહ્યા છે.

જ્યારે બીજી તરફ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં જનતાને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે. મફત વીજળી એ દાન નથી પરંતુ લોકો નો મૂળભૂત અધિકાર છે. અરવિંદ કેજરીવાલ જી ગુજરાતમાં પણ કેવી રીતે મફતમાં વીજળી આપી શકાય તે અંગે વાત કરવા થોડા દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જી પાસે ગુજરાતની વીજળીની સમસ્યા નો સંપૂર્ણ ઉકેલ છે.

આજે ગુજરાતના રાજ્યપાલ પર 3.50 લાખ કરોડનું દેવું છે. આજે જ્યારે ગુજરાતમાં બાળક જન્મે છે તો તે કપાળે હજારો રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ભાજપ સરકારના નેતાઓ એ રાજ્ય સરકારના નામે લોન લઈને અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે. જ્યારે બીજી તરફ ગઈ કાલે જ્યારે અરવિંદ કેજરીવાલ જી એ દિલ્હી સરકારના કપાળ પર નું તમામ દેવું ખતમ કરી દીધું છી અને આજે દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે જે નફામાં ચાલી રહ્યું છે.

ગુજરાતમાં જે ઝડપે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે તે જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, જનતાએ આમ આદમી પાર્ટી ને પસંદ કરી છે. આવનારા સમયમાં જનતા ભાજપ અને કોંગ્રેસ ને કારમી હાર આપવા તૈયાર છે. આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા ની આ ભાગીદારી ગુજરાતના ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *